Placeholder canvas

વાંકાનેર: ભેરડા ગામે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયુ.

વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ધારાસભ્ય, તાલુકાના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

ગઈ કાલે ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે એક સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી. જ્યાં વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા વિવિધ પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ માટે આ વિસ્તારના નાગરિકોએ મંત્રીને રજુઆત પણ કરી હતી…

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતી ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવા, જીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, ભાજપ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા….

આ સમાચારને શેર કરો