વાંકાનેર: પાંચદ્વારકામા યોજાયેલી મીટીંગમાં ભાજપના ઉમેદવારને વિજય બનાવવા આગેવાનોને અપીલ…

વાંકાનેર: ગતરાત્રે પાંચદ્વારકા ગામમાં ભાજપના તાલુકા અને જિલ્લાના ઉમેદવારના ચૂંટણીપ્રચાર માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ મિટિંગમાં તમામ આગેવાનોએ કહ્યું હતું કે સ્થાનિક પ્રશ્નોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભાજપના તાલુકા અને જિલ્લાના ઉમેદવારને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી.

આ મિટિંગમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર નૂરજંહાબેન કડીવારના પતિ અને વાલાસણ ગામના પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈની કડીવાર, ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, તીથવાના અગ્રણી ઇસ્માઇલભાઈ રઝવી, પાંચ દ્વારકા ગામના ભાજપના અગ્રણી નઝરમામદ બાદી, સીંધાવદર પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ આઈએમપી, સીંધાવદરના યુવા ભાજપના અગ્રણી ક્રિપાલસિંહ, અલી હાજી સાહેબ અને તાલુકા પંચાયતના અરણીટીંબા સીટના ઉમેદવાર નવઘણભાઈ માલધારી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં મતદારોમા પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ લોકોએ વધુમાં વધુ મતદાન કરવાની ખાતરી આપી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો