વાંકાનેરમાં નરેન્દ્ર મોદીનું બેનર રાતો રાત ઉતરી ગયું…
વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા રેલવે બ્રિજ પાસે એક વોર્ડિંગ પર નરેન્દ્ર મોદીનું પ્રચાર કરતો બેનર લગાવવામાં આવ્યું હતું જેની સામે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અર્જુનસિંહ વાળાએ આચારસંહિતાનો ભંગ થતો હોવાની રજુવાત કરી હતી. જેના બાદ વાંકાનેર જકાત નાકા પાસે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાડવામાં આવેલ ભાજપનું બેનર રાતો રાત હેઠે ઉતારવું પડ્યું હતું.



