Placeholder canvas

વાંકાનેર: વિકલાંગોને વ્યવસાયલક્ષી સાધન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: કે. જી. એન. ટ્રસ્ટના સહયોગથી ફૈઝ સંકુલ ખાતે વિકલાંગ સહાયતા કીટ વિતરણ તથા નશામુક્તિ અભિયાનનું સફળ આયોજન થયું હતું. આજના પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી રંજનબેન, સમાજ સુરક્ષા અધિકારી વૈશાલી બેન, નાયબ મામલતદાર પટેલભાઈ, મન્સૂરીભાઈ તથા કે. જી.એન. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હુસેનભાઈ શેરસીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજને નશા મુક્ત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તથા વડીલોને પણ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરણા આપી હતી. નશા મુક્તિ માટે શપથ પણ લેવડાવામાં આવ્યા હતા. ત્યાર બાદ 27 જેટલા વિકલાંગોને વ્યવસાયલક્ષી સાધન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગનીભાઈ પટેલે કર્યું હતું. કે.જી.એન. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હુસેનભાઈ શેરસીયા વિકલાંગ એન. જી.ઓ. પણ ચલાવે છે. જેના દ્વારા વિકલાંગોની અવારનવાર સહાયતા કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો