વાંકાનેર: આવતીકાલે ભાજપ યુવા મોરચા દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાશે.

વાંકાનેર : આવતીકાલે તા.24/09/2023 ને રવિવારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, આ મહારક્તદાન કેમ્પ ભાજપ કાર્યાલય ગરાસિયા બોર્ડિંગ નેશનલ હાઇવે ખાતે સવારના 9:30 થી બપોરના 2 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.

દરેક રક્તદાતાઓને વિનંતી કરવામાં આવી છે કે આ મહારક્તદાન કેમ્પમાં રકતદાન કરવા માટે સમયસર પધારે. દરેક રકતદાતાને આયોજક તરફથી બે સ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો