Placeholder canvas

વાવઝોડાની અસર વાંકાનેરમાં: લુણસર નજીક સેનેટરીવેર્સ ફેક્ટરીના પતરા ઊડ્યા…

વાંકાનેર : વાવઝોડાનું કાઉન્ટ ડાઉન વચ્ચે તેજ પવનથી વાંકાનેરના લુણસર પાસે આવેલ સેનેટરીવેર્સ ફેક્ટરીમાં નુકશાની થઈ હોવાના સમાચાર મળેલ છે. ભારે પવનને કારણે સેનેટરીવેર્સ કારખાનાના પતરા ઉડયા હતા અને સેડ તૂટ્યા હતો સાથે જ કાચાપાકા માલને પણ નુકશાની થઈ હતી.

વાવઝોડાની અસરને લીધે ભારે પવન ફૂંકાતો હોય કારખાનામાં નુકશાની થયાના સમાચાર મળ્યા છે. જેમાં વાંકાનેરના લુણસર પાસે મહા નદીના બ્રિજ નજીક આવેલ લિટો સેનેટરીવેર્સ કારખાનામાં ભારે પવનથી શેડના પતરા તૂટી ગયા હતા અને કારખાનામાં કાચા પાકા માલને પણ નુકશાની થઈ હતી.

આ સમાચારને શેર કરો