Placeholder canvas

વાંકાનેર: ભાજપના ઉમેદવારના સમર્થનમાં નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ ચૂંટણીનો રંગ જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઉમેદવારી પાછી ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે વાંકાનેર કુવાડવા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરેલ ક્ષત્રિય આગેવાન નરેન્દ્રસિંહ નટુભા ઝાલાએ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની સાથે ભાજપના 67 વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને ટેકો જાહેર કર્યો હતો અને ક્ષત્રિય સમાજને ભાજપના ઉમેદવારને જંગી બહુમતી જીતાડવા કામે લાગી જવા ક્ષત્રિય આગેવાનોએ હાકલ કરી હતી.

આ તકે નરેન્દ્રસિંહ ઝાલા, અજુનસિંહ ઝાલા માજી ઉપ પ્રમુખ તા.પ, ભરતસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તા.પ પ્રમખ, નરેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, માહિપાલ સિંહ ઝાલા તા.પ સદસ્ય, ભુપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ રાણા, પ્રદીપસિંહ રાણા, રામદેવસિંહ ઝાલા, ભગુભા ઝાલા માજી સરપંચ કણકોટ, જયુભા ઝાલા સરપંચ લુણસરિયા, ભીખુભા જાડેજા, જુગાભા ઝાલા, રઘુરાજસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ઝાલા, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો