Placeholder canvas

વાંકાનેર: ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજમાં લલિતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી…

વાંકાનેર એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ સ્વ. લલિતભાઈ મહેતા જેવોએ વાંકાનેરમાં બાલમંદિર થી ધોરણ 12 સાયન્સ,કોમર્સ સુધીનો શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરીને છેલ્લે છેલ્લે અમરસિંહજી હાઈસ્કૂલ કેમ્પસમાં વાંકાનેરની દીકરીઓ માટે મહિલા કૉલેજની સ્થાપના તેમના પત્ની શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજના નામથી કરતા ગયા….

આવા વાંકાનેરના શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ સમાન સ્વ.લલિતભાઈ મેહતાને શ્રદ્ધાંજલી રૂપે મહિલા કોલેજની દીકરીઓ એ સ્વ.લલિતભાઈ મેહતા જે પાંજરાપોળમાં નિરાધાર ગાયોનું જતન કરતા હતા,ત્યાં પક્ષીઓ માટે ચણ નું યથાશક્તિ દાન કર્યું…. મહિલા કોલેજ ની દીકરીઓએ સાહેબ ને શ્રદ્ધાંજલી રૂપે સારામાં સારું પરિણામ લાવી ,પોતાનું… પોતાના પરિવાર નું તથા મહિલા કોમર્સ કોલેજ નું નામ રોશન કરવાનું પણ પ્રણ લીધું હતું.

આ શ્રદ્ધાંજલીના સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહિલા કોમર્સ કોલેજ ના પ્રિન્સીપાલ પ્રોફેસર શીતલબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આ કાર્યક્રમ માં વાંકાનેર એજ્યુકેશન સોસાયટી ના ઉપ પ્રમુખ શ્રીઅમરશી ભાઈ મઢવી તથા મહિલા કૉલેજ ના સતત પથદર્શક અને વહીવટકર્તા શ્રી પુષ્કર ભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો