Placeholder canvas

વાંકાનેર: કેસરીદેવસિંહજી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જાહેર…

વાંકાનેર: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે વાંકાનેરના મહારાણા કેસરિદેવસિંહજી ઝાલાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

વાંકાનેરના કેસરિદેવસિંહજી ઝાલા રાજ્યસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડશે. જે મોટાભાગે બિનહરીફ થશે. અત્રે ઉલ્લેખન્ય છે કે તારીખ 8 ના રોજ વાંકાનેરમાંથી રાજ્યસભામાં ગયેલા પૂર્વ રાજ્યસભાના સાંસદ લલિતભાઈ મહેતાનું અવસાન થયું હતું અને ત્યારબાદ આજે તારીખ 12 ના રોજ રાજ્યસભાના ઉમેદવાર તરીકે કેસરીદેવસિંહજીનું નામ ભાજપે જાહેર કરેલ છે. આમ વાંકાનેરમાંથી કેસરીદેવસિંહજી બીજી એવી વ્યક્તિ થશે જે રાજ્યસભામાં જશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કેસરીદેવસિંહજીના પિતા ડૉ .દિગ્વિજયસિંહ ઝાલા પણ લોકસભામાં ચૂંટાયા હતા અને ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી બન્યા હતા.

આ સમાચારને શેર કરો