વાંકાનેર: જાલીડા પાસે ઝેરી જાનવર કરડતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટિયા પાસે આવેલ આરનીયા બાયો ડોમ નામના સંકુલની ઓરડીમાં સુતેલા વિક્રમ રનુભાઈ આદિવાસીને રાત્રે સૂતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.