Placeholder canvas

વાવાઝોડાના કારણે આવતી કાલથી મોરબી,વાંકાનેર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ…

વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોય જેને પગલે વિવિધ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે મોરબી,વાંકાનેર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

આ માર્કેટિંગ યાર્ડની યાદીમાં જણાવ્યા મુજબ વાવાઝોડું અને વધુ વરસાદની આગાહીને ધ્યાને લઈને માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ કરવામાં આવી છે કોઈપણ ખેડૂતોએ માલ લઈને આવવું નહિ અને નવી જાહેરાત ના થાય ત્યાં સુધી તમામ જણસની આવક બંધ રહેશે તેમજ વેપારીઓએ પોતાનો માલ સેડ પરથી ગોડાઉનમાં અથવા સુરક્ષિત જગ્યાએ લઇ લેવા સુચના આપવામાં આવી છે

આમ વાંકાનેર,મોરબી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડની અખબારી યાદી મુજબ તા. ૧૩ જુનથી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં હરાજીનું તમામ કામકાજ અને આવક સદંતર બંધ રહેશે જેની તમામ ખેડૂતો, દલાલભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો