skip to content

વાંકાનેર: કારખાનાના પહેલા માળેથી પડી જતા સારવાર દરમિયાન શ્રમિકનું મોત

વાંકાનેર : કારખાનાના પહેલા માળેથી પડી ગયેલા શ્રમિકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવતા વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ મૂળ એમ.પી.ના વતની અને હાલ વાંકાનેર નજીક આવેલા બ્લીજાડ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા કરણસીંગ ધનાભાઇ ડામોર (ઉ.વ.૫૦) નામના શ્રમિક ગત તા.૪ ના રોજ આ કારખાનાના પહેલા માળેથી પડી જતા તેઓને ઇજા થતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દરમિયાન આ બનાવના કાગળો આવતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો