Placeholder canvas

PM નરેન્દ્ર મોદીએ આજે દેશના નામ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાનું એલાન કર્યુ.

આ પહેલા જમીન સંપાદનના નવા કાયદાના મુદ્દે પણ ખેડૂતો સામે મોદી સરકારને પીછેહઠ કરવી પડી હતી

એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સમક્ષ ઝૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત જવાની અપીલ પણ કરી હતી. 

પીએમ મોદીએ આજે પોતાના 17 મિનિટના ભાષણમાં કુલ 37 વાર ખેડૂતોનું નામ લીધુ. તેમણે પોતાના ભાષણમાં ખેડૂતો માટે કરેલા પોતાના કામ ગણાવ્યા અને કહ્યું કે દેશમાં ખેડૂતો માટે સંપૂર્ણ તાકાતથી કરતા રહેશે.

આજે સવારે અચાનક જેવી પીએમઓએ પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની જાણકારી ટ્વીટ કરી તો અટકળોએ બજારને ગરમ કરી દીધું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નાના ખેડૂતોની સમસ્યાનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં કહ્યું કે હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.

પીએમ મોદીના આ ભાષણમાં ખેડૂતોને લઈને પોતાના ભાવને પણ વ્યક્ત કર્યો. પોતાના 5 દશના રાજકીય જીવન અંગે જણાવ્યું કે તેમણે ખેડૂતોના પડકારોને નજીકથી જોયા છે. તેમની સરકાર ખેડૂતોના હિત માટે કાયદો લાવી હતી. તેમણે કહ્યું કે તેમનો હેતુ ખેડૂતોને વધારે લાભ કરાવવાનો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યુ

દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!

પીએમ મોદીના ઘમંડની આ હાર- સીએમ ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારના ઘમંડની હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની દૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ખેડૂતોના આંદોલનમાં બલિદાન આપનારા તમામ ખેડૂતોને હું નમન કરું છું. આ તેમના બલિદાનની જીત છે.

અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો

અમરિંદર સિંહે ટ્વિટ કર્યું, સારા સમાચાર. ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા માટે પીએમ મોદીનો આભાર. મને ખાતરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.

સિદ્ધુએ કહ્યું – આ સાચી દિશામાં એક પગલું છે

નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, કાળા કાયદાને રદ કરવાની સાચી દિશામાં આ એક પગલું. કિસાન મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. તમારા બલિદાનને કારણે તે શક્ય બન્યું છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.

કેજરીવાલે કહ્યું- ખેડૂતોના બલિદાનને યાદ કરાશે

અરવિંદ કેજરીવાલે આ અંગે જણાવ્યુ કે, આજે પ્રકાશ દિવસના દિવસે કેવા મહાન સમાચાર મળ્યા. ત્રણેય કાયદા રદ કરવામાં આવ્યા. 700થી વધુ ખેડૂતો શહીદ થયા. તેમની શહાદત અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ કરશે કે, કેવી રીતે આ દેશના ખેડૂતોએ જીવ જોખમમાં મૂકીને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારી સલામ

ખેડૂત સંગઠને મોદીનો આભાર વ્યક્ત કરવો જોઈએ

હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ટ્વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરવા બદલ તમામ ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ અને તરત જ તેમના ધરણા બંધ કરવા જોઇએ. તમારે ઘરે જવું જોઈએ અને તમારા નિયમિત કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.

આ સમાચારને શેર કરો