ભરવાડ સમાજના યુવા એડવોકેટ વિજય આર.બાંભવાનો આજે જન્મ દિવસ…
વાંકાનેર: વિજય આર.બાંભવા વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની છે.નાનપણથી જ વકીલાતનું સપનું પૂરું કરવા રાજકોટની કે.એ.પાંધી લો કોલેજમાં વકીલાતનો અભ્યાસ કરી અને તેઓ હાલ વાંકાનેર ખાતે વાંકાનેર બાર એસોસિએશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ એસ.પરમાર તથા ભગીરથસિંહ એ.જાડેજા તથા યોગીરાજ સિહ એચ.ઝાલા સાથે ક્રિમિનલ તથા એમ.એ.સી.પી.ની વકીલાત કરે છે. તેમની ઓફિસ લીમડા ચોક,હાજીઅલી કોમ્પ્લેક્સ પહેલો માળ વાંકાનેર ખાતે આવેલ છે.તેમજ તેઓએ વાંકાનેર બાર એસોસિએશનમા કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપેલ છે તથા તેઓ સેવાકીય પ્રવુતિમા પણ અગ્રેસર રહે છે.
વિજય આર.બાંભવા પોતાના મળતાવડા સ્વભાવના કારણે મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમને તેમના જન્મ દિવસની તેમના મિત્રો,વ્યવસાયિક વકીલ મિત્રો,સગા સબંધીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર ૯૪૨૬ ૫૪૫૬૫૫ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.