Placeholder canvas

લાંબા સમયથી TRBમા રહેલા 6400 જેટલા જવાનોને ક્રમશઃ છુટા કરવા માટે આદેશ

🔴9000 પૈકી 6400 TRB (ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોને ક્રમશઃ છુટા કરાશે

🔴૧૦ વર્ષ થયા છે એવા 1100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છુટા કરવા આદેશ

🔴5 વર્ષ પુર્ણ થયા છે તેવા 3000 જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છુટા કરવા આદેશ

🔴3 વર્ષ થયા છે તેવા 2300 જવાનોને માર્ચ ૨૦૨૪મા છુટા કરવા આદેશ

🔴 એકતરફ અનુભવી ને લેવાની વાત કરાય ને કોન્ટ્રાકટ ને કાયમી કરવાની વાત થતી હતી, ત્યાં તો છૂટા કરવાનો પરિપત્ર થઈ ગયો.

🔴 ગુજરાતમાં 9 હજાર ટ્રાફિક બ્રિગેડના જવાનોની માનદ સેવા ચાલે છે

ગુજરાતના પોલીસ વડા તરફથી થયેલા આદેશ પ્રમાણે ગુજરાત રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં આશરે 9 હજાર ટ્રાફિક બ્રિગેડના સભ્યોની માનદસેવા લેવામાં આવી રહી છે. ટ્રાફિક બ્રિગ્રેડ માનદ સભ્યોની નિમણૂંક બાબતે વિવિધ કચેરી તરફથી માહિતી મંગાવતા ધ્યાને આવેલ છે કે, આશરે 9 હજાર ટ્રાફિક બિગ્રેડ સભ્યો પૈકી આશરે 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે. આશરે 3 હજાર સભ્યોએ ટ્રાફિક બ્રિગેડમાં 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે અને આશરે 2300 સભ્યો 3 વર્ષથી વધારેનો સમય પૂર્ણ કરેલ છે.

લાંબા સમયથી એક જ જગ્યાએ કામ કરતાં સભ્યોને મુક્ત કરવા
ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. જેથી ટ્રાફિક બ્રિગેડ સભ્યોની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને 30 નવેમ્બર 2023, 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેમને 31 ડિસેમ્બર 2023 અને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 31 માર્ચ 2024 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો છે.

આ સમાચારને શેર કરો