વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપમાંથી નૂરજંહાબેન કડીવારે ફોર્મ ભર્યું
વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે, ત્યારે કાલથી ફોર્મ ભરવાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આજે મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી તીથવા જિલ્લા પંચાયતમા ભાજપના ઉમેદવાર તરીકે વાલાસણના સરપંચ નૂરજંહાબેન કડીવારે ફોર્મ ભર્યું છે.
નૂરજંહાબેન કડીવાર હાલમાં વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. આ પૂર્વે તેમના પતિ ઈસ્માઈલભાઈ કડીવાર પણ વાલાસણના સરપંચ તરીકે પાંચ વર્ષ સેવા આપી ચૂક્યા છે. તેમજ ઇસ્માઇલભાઈ વાલાસણ સહકારી મંડળીના પણ સેવા આપી રહ્યા છે. વાલાસણ ગામના રાજકારણમાં તેઓ તેમનું ગ્રુપ સત્તા સ્થાને છે.
ઇસ્માઇલ કડીવાર રાજકારણમાં ભાજપ સાથે સંકળાયેલા છે, તેઓએ ભાજપમાંથી તીથવા જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી, જેમની માંગ પર ભાજપ મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળતા તેઓએ આજે તેમના ટેકેદારો સાથે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે તેમના પત્ની નૂરજંહાબેન કદીવાર નું ફોર્મ ભરીને રજૂ કર્યું હતું.