Placeholder canvas

હળવદ,થાન અને લુણસર તરફનો બંધ કરાયેલો રસ્તો ભાજપના આગેવાનોએ ફરી શરૂ કરાવ્યો.

વાંકાનેર: હળવદ તાલુકા અને થાન તાલુકા તેમજ લુણસર મહાલના વિસ્તારનાં ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તો ટોલનાકા દ્વારા જે બંધ કરવામાં આવ્યો હતો.

આ વિસ્તારના લોકોની રજુઆતને ધ્યાને લઈને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સુચનાથી આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હીરાભાઈ બાંભવા, કીશોરસિંહ બી ઝાલા, અશ્વિન નવઘણભાઈ મેઘાણી, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા, સહિતના આગેવાનો રૂબરૂ ટોલનાકે જઈ પ્લાઝા મેનેજરને મળી રજૂઆત કરી હતી અને લુણસર મહાલના લોકોને આવવા જવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો