વાંકાનેર: ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન-સારવાર તથા ઓપરેશન કેમ્પ યોજાશે…

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, એન.આર.દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેશન પાસે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે આગામી તા. 8મી જુલાઇના શનિવારે સવારે 9 થી 12 ત્રાંસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં ત્રાસી આંખના કોઇપણ ઉંમરના દર્દી આંખ બતાવી શકે છે, આંખ બતાવવા માટે અગાઉથી નામ લખાવવું જરૂરી નથી. કેસ કાઢવાનો સમય સવારે 9 થી 12નો રહેશે. દર્દી સાથે એક અથવા બે વ્યકિત જ આવી શકશે. તેનાથી વધોર આવવું નહી.

તા.8મી જુલાઇના વાંકાનેરમાં યોજાનાર કેમ્પમાં આવતા પહેલા આગલા દિવસે વરસાદના અનુસંધાને સવારે 9 થી 1 તથા બપોરના 3 થી 6 વચ્ચે ફોન કરીને કેમ્પ ચાલુ છે કે નહિ તેની ખાતરી કરી લેવી વધુ માહિતી માટે (02828-222082) અથવા મો. નં. 94089 39982નો સંપર્ક કરવો.

આ સમાચારને શેર કરો