Placeholder canvas

બી.આર.સી ભવન વાંકાનેર ખાતે બાલ વાટિકાના શિક્ષકોને ત્રણ દિવસની તાલીમ અપાઈ

વાંકાનેર: બી.આર.સી ભવન વાંકાનેર ખાતે તારીખ 26/6/23 થી 28/6/23 સુધી વાંકાનેરની તમામ પ્રાથમિક શાળામાંથી બાલ વાટિકા ભણાવતા શિક્ષકોની ત્રણ દિવસની તાલીમનુ આયોજન ડાયટ રાજકોટ દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ તાલીમમાં સો ટકા શિક્ષકોએ તાલીમમાં હાજર રહી વાંકાનેરના શિક્ષણને નવા આયામ સુધી લઈ જવા માટે નિષ્ઠા સાથે તાલીમ મેળવી તેમજ વાંકાનેર શિક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટેના શપથ લીધા હતા. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોઓર્ડીનેટર મયુરસિંહ પરમારનું સતત માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો સાથે સાથે ઉપસ્થિત તમામ દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવેલ તેમજ તાલુકાના ઇનોવેટિવ ટીચર દ્વારા તૈયાર કરેલ ઇનોવેશનનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવેલું, એકંદરે એવું કહી શકાય આ તાલીમ દ્વારા પ્રાથમિક શાળાના પાયાને મજબૂત કરવા આ તાલીમ ખૂબ જ ઉપયોગી નીવડશે તેવું શિક્ષકોનો સુર હતો

આ સમાચારને શેર કરો