વાંકાનેર: કારખાનાના લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી
વાંકાનેરના ઢુવા ખાતે આવેલા લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા ઢુવા ખાતે આવેલા ફ્રીડમ સીરામીકના લેબર ક્વાર્ટરમાં ૨૮ વર્ષીય પુરીબેન શીતારામ ધીંગાણીયાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને પગલે પરિજનો દ્વારા તેમને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટેની તજવીજ હાથ કરી હતી.