Placeholder canvas

વાંકાનેર: નવાપરામાં યુવકે ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું

વાંકાનેરમાં નવાપરા ખડીપરામાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવાપરા ખડીપરામાં રહેતા ૩૫ વર્ષીય ભરતભાઈ જીવણભાઈ સારલાએ તારીખ ૦૧/૦૬/૨૦૨૩ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો.જેને પગલે પરિજન દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા.આ મામલે વાંકાનેર સિટી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો