Placeholder canvas

વાંકાનેર: મર્હુમ રસુલભાઈ કડીવારનું આજે સાંજે બેસણું, કાલે સવારે જિયારત.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના રહેવાસી કોંગી અગ્રણી અને રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું ગઈ કાલે અવસાન થયેલ છે. જેમની દફનવિધિ ગત રાત્રે 10 વાગ્યે કરવામાં આવી હતી.

મરહુમ રસુલભાઈ કડીવાર રાજકીય વ્યક્તિ હતા અને ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં જિલ્લા કક્ષામાં સંકળાયેલા હોય જેથી તેઓનું બેસણું આજે સાંજના 4 થી 6 વાગ્યે પ્રતાપગઢ ગામ ખાતે રાખેલ છે.

જ્યારે મરહુમ રસુલભાઈ કડીવારની જિયારત આવતીકાલ એટલે કે રવિવારે પ્રતાપગઢ ગામ ખાતે રાખેલ છે, જિયારતના ફાતિયાનો ટાઈમ સવારના 9 વાગ્યાનો રાખેલ છે.

આ સમાચારને શેર કરો