Placeholder canvas

વાંકાનેર: હોલમઢ નજીક રાજકોટના યુવાનની હત્યા, ખુન કા બદલ ખુન

વાંકાનેર : વાંકાનેર હોલ માતાના મંદિર નજીક રાજકોટના યુવાનની ચાર શખ્સોએ હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં મોરબી ડીવાયએસપી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટથી મહિકા નજીક રેતીની ગાડી ભરવા આવી રહેલા યુવાનનો હત્યારાઓએ ફોરવ્હીલ ગાડીમાં પીછો કરી હત્યાને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

વધુમાં મૃતક યુવાન રાજકોટમાં રહેતો રાહુલ આહિર હોવાનું અને મૃતક રાહુલ રાજકોટમાં હત્યાના આરોપમાં થોડા સમય પહેલાં જ જેલમાંથી જામીન પર છુટેલો હોવાનું પણ સૂત્રો જણવા મળેલ છે.

વાંકાનેરમાં ગઈકાલે સાંજે 6 કલાકે મહીકાથી મચ્છુ ડેમ તરફ જતા રોડ પર દરગાહ પાસે જામીન મુક્ત થયેલા આરોપીની હત્યા થઇ હતી. આ કેસમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. જેમાં ત્રણ અજાણ્યા શખ્સો સહીત છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા મુજબ આરોપી એજાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયકના ભાઇ સાહીલનું તા. 15/11/2019ના રોજ રાજકોટ આર.ટી.ઓ. ઓફીસ માં ખુન થયેલ હતું. તે ખુન કેસના આરોપીઓ મૃતક રાહુલ રાજેશભાઇ તથા ઇજા પામનાર નીતીન માધવજીભાઇને કોર્ટમાંથી જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. આથી, આરોપી એજાજએ પોતાના ભાઇના ખુનનો ખાર રાખી આરોપીઓ સોહીલ નુરમામદભાઈ કાબરા, નિજામ નુરમહમદ હોથી તથા અન્ય 3 અજાણ્યા શખ્સો સાથે મળી રાહુલભાઈની હત્યાનું કાવતરૂ રચ્યું હતું.

આથી, કાવતરા મુજબ ધોકા પાઇપ, છરી જેવા હથિયાર લઇ ઇનોવા કાર તથા એક્ટીવા મોટર સાયકલમાં આવી રાહુલભાઇનો ટ્રક રોડ ઉપર રોકાવ્યો હતો. અને પથ્થરથી ટ્રકના કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું. ત્યારબાદ રાહુલભાઇ તથા નીતીનભાઇને ટ્રકમાંથી ખેંચી નીચે ઉતારી પાઇપ, ધોકા, છરી, પથ્થરથી માર માર્યો હતો. જેમાં નીતીનભાઇને હાથે, ૫ગે, માથામાં ઇજા થયેલ હતી. અને મૃતક રાહુલભાઇ (ઉ.વ. 25) દોડીને રોડ સાઇડના ખેતરમાં જતા હતા. ત્યારે આરોપીઓએ પાછળ ગયા હતા. ત્યારબાદ આરોપી એજાજ ઉર્ફે અજુ, સોહીલ નુરમામદ કાબરા તથા નીજામ નુરમહમદ હોથીએ રાહુલભાઇને છરીઓ વડે ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ કરી હતી. તેમજ અન્ય આરોપીઓએ રાહુલભાઈને પકડી રાખ્યા હતા. આમ, રાહુલભાઈને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયુ હતું.

આ સમાચારને શેર કરો