Placeholder canvas

વાંકાનેર: લુણસરમાં રૂપિયા 12 લાખની ખનીજ ચોરીની ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા છતાં થાનગઢના આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં ન આવતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રવીભાઇ કિશોરભાઇ કણસાગરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વેલાભાઇ નારણભાઇ સાટીયા રે.મોરથળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ,ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-૧૯૫૭ ની કલમ-૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ-૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર.-૨૦૧૭ ના નિયમો મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા વાંકાનેર તાલુકાના જીવાપર નેસ, લુણસર સર્વે નં.૭૮૩/૧ પૈકી ની સરકારી પડતર જગ્યામાં એસ્કેવેટર મશીન નં.HYNDN633KE0005550 ના વાહનથી ગેરકાયદેસર કોઈ પાસ પરમીટ કે લીઝ મંજૂરી વગર ખોદકામ કરી ખનીજ ચોરી ૩૭૭૮.૮૯ મેટ્રીક ટન તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ મળી કુલ રૂ.૧૨,૨૮,૮૦૪/- (અંકે રૂપીયા બાર લાખ અઠ્યાવીસ હજાર આઠસો ચાર પુરા) ની ખનીજ ચોરી કરી હોય નિયમ મુજબ દંડ ફટકારી સમય આપવા છતાં દંડની રકમ નહિ ભરતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો