Placeholder canvas

ટંકારા: આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા લતીપર ચોકડીએ ઠંડાં પાણીનું પરબ મુક્યું

ટંકારા તાલુકાના આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ગાંધી પરિવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે ફિલ્ટરયુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના લતીપર ચોકડીએ નવ નિયુક્ત આર્યનગર ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ફિલ્ટર યુક્ત ઠંડાં પાણીનું પરબ મુકવામાં આવ્યું છે.પંથકની પ્રખ્યાત નવકાર ગોલ્ડ ચા વાળા ગાંધી કેતનભાઈ પરીવાર દ્વારા રાહદારીઓ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખરીદી કામકાજ અર્થે આવતા લોકો માટે લતીપર ચોકડી ખાતે પાણીનું પરબ ઉભુ કરવામાં આર્થીક અનુદાન આપ્યુ હતું.આ પરબનુ સંચાલન નવનિયુકત આર્યનગર ગામ પંચાયતના સ્થાનિક આગેવાનો તથા નાનજીભાઈ મેરજા સહિતની ટીમ કરી રહી છે.

આ સમાચારને શેર કરો