વાંકાનેર:કોળી સમાજનાં આગેવાનો વચ્ચે મહંત વાલજીભગત બાપુએ સમાધાન કરાવ્યુ.
વાંકાનેર: કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપું દ્વારા અને બહોળી સંખ્યામાં કોળી સમાજનાં આગેવાનો વચ્ચે થયેલ સમાધાન,
મળતી માહિતી મુજબ વાંકાનેર કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી બીમાર હોવા છતાં, અજાણતાં જે ખોટા આક્ષેપો થયાં હતાં તે પરત ખેંચાયા બાદ, આ વાત કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપુંના ધ્યાને આવતા ગઈ કાલે વાંકાનેર તાલુકાનાં કોળી સમાજનાં આગેવાનોને કાળાસર ગામે બોલાવવામાં આવ્યા હતા. અને કોળી સમાજનાં મહંત વાલજીભગત બાપું દ્વારા, નવઘણભાઈ મેઘાણી, કરશનભાઈ લુંભાણી, જસુભાઈ ગોહેલ, નાથાભાઈ ગોરીયા, ને એક બીજાને હાર અને સાલ ઓઢાડી મો મીઠા કરાવવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં કોળી સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, બાપુએ ટકોર કરી હતી કે સમાજમાં સૌવે સાથે મળી કામ કરવું જોઈએ અને બહોળી સંખ્યામાં કોળીસમાજ પથરાયેલ છે ત્યારે કોળી સમાજનાં આગેવાનો ઉપર કોઈ અન્યાય કરવામાં આવશે તો ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં..