Placeholder canvas

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રક્તતુલા કરાઈ..

વાંકાનેર : વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી રામ સેતુ સર્વ રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને આ રક્તથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રક્તતુલા કરવામાં આવી હતી.

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જાલીડા ગામ ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને તે માટે પહેલા પગમાં ચંપલનો ત્યાગ કર્યો હતો અને હાલ ભોજનમાંથી અનાજ અને કઠોળનો ત્યાગ કર્યો છે ત્યારે તેમને બિરદાવવાં માટે માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા કરી બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડો.સતીષ સરૈયા તેમજ બહોળી સંખ્યામાં માલીયાસણ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો