Placeholder canvas

ટંકારા: હડમતિયા ગામે વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારે નકલંકધામે ભવ્ય સંતવાણી

ટંકારા તાલુકાના હડમતિયા ગામે વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારે નકલંકધામે આગામી સોમવારે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. સર્વ વરિયા પ્રજાપતિ સમાજના ધર્માનુરાગીઓને ગુરૂગાદી ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વે સમસ્ત વરિયા પ્રજાપતિ ગુરૂદ્વાર શ્રી નકલંકધામ હડમતિયા (પાલણપીર) મુકામે ગુરૂદર્શન તથા મહાપ્રસાદનું આયોજન કરેલ હોય સર્વને પધારવા ગુરુગાદી તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

મહાપ્રસાદ : સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ ભોજન (નાત જમણવાર) તા. ૩/૭/૨૦૨૩ ને સોમવાર સમય : ૧૧.૩૦ કલાકે આયોજન કરેલ છે.

સંતવાણી : ૨/૭/૨૦૨૩ રવિવાર રાત્રે ૯.૩૦ કલાકે રાખેલ છે.

આ સમાચારને શેર કરો