Placeholder canvas

વાંકાનેર: ગારીડા ગામે પેટાળમાંથી ધગધગતી વરાળ સાથે લાવા નીકળ્યો…

જીયોલોજીકલ ટીમ, મામલતદાર સહિતની ટીમે સ્થળની મુલાકાત લીધી

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે ડુંગરાળ વિસ્તારમાં પેટાળમાંથી લાવા નીકળ્યો હતો જે બનાવની જાણ સરપંચે કરતા ખાણ ખનીજની ટીમ અને મામલતદાર સહિતના દોડી ગયા હતા અને સર્વે કામગીરી કરવામાં આવી હતી.

વાંકાનેરના ગારીડા ગામના મહિલા સરપંચના પતિ યુનુસભાઈ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગારીડા ગામે મહિકા જવાના રોડ પર ડુંગરાળ વિસ્તાર આવેલ છે જ્યાં બે દિવસથી વરાળ સાથે લાવા નીકળે છે. ગત રાત્રીના પણ વરાળ સાથે લાવા નીકળ્યો હતો. જેથી સરપંચે ખાણ ખનીજ વિભાગને બનાવ અંગે જાણ કરી હતી જેથી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પરથી નમુના લઈને પૃથક્કરણ માટે મોકલી દેવામાં આવ્યા છે તે ઉપરાંત જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે જેથી ટીમ તપાસ અર્થે ગામ ખાતે આવી સકે છે તો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસના વનરાજસિંહ બાબરિયા સહિતની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

આ સમાચારને શેર કરો