વાંકાનેર: રવિવારે બંધુસમાજ હોસ્પિટલમાં કાન,નાક,ગળાના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ…

વાંકાનેર: આગામી રવિવારે વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના રોગો માટે ના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા તથા રાજકોટ ના ઓડિયોલોજીસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે….

આ કેમ્પમાં ડો.સુરભી અંબાણી D.L.O. ( ENT SURGEON) ગોલ્ડ મેડાલિસ્ટ સેવા આપશે તથા રાજકોટ ના ડો. મિરાલી છોટાઈ ( ઓડિયોલોજીસ્ટ ) સેવા આપશે…
કાન નાક ગળાના રોગોની સચોટ સારવાર, નિદાન તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન મળશે…

કાનની સમસ્યા જેવી કે પડદામાં કાણું , હાડકામા સડો, મેલ, સોજો, રસી, લોહી આવુ બુટમાં કાણું, બુટ સંધાવી વગેરે નિદાન…
નાકની સમસ્યા જેવી કે ત્રાસા પડદા, હાડકાનું ફેક્ચર, એલર્જી, નાકના મશા, સાઇનસ , નાસુરનું આંખમાંથી પાણી પડવું વગેરે નું નિદાન….
ગળાની સમસ્યા જેવી કે થાઇરોડની સારવાર, કાકડાની સારવાર, લાડગ્રંથિની સારવાર, સ્વરપેટી મશા વગેરે નું નિદાન…
અન્ય ચક્કર માટેનું ખાસ સચોટ નિદાન….

આ કેમ્પમાં ખાસ કાનની બહેરાશને લગતી વિવિધ સારવાર આધુનિક મશીનરી દ્વારા નિદાન કરવામા આવશે…
તોતડાવું, હકલાવું, મોડું બોલવું કે ના બોલવું તેવા બાળકોની સારવાર તેમજ દરેક જાતના કાનના મશીન/કોકલિયર ઇમ્પ્લાન્ટ પછીના સારવારની માહીતી આપશે ..

કેમ્પની તારીખ:- 26/03/2023, રવીવાર
સમય:- સવારે 10:00 થી 01:00 સૂધી
સ્થળ:- બંધુસમાજ હોસ્પીટલ પ્રતાપ રોડ વાંકાનેર.

આ સમાચારને શેર કરો