Placeholder canvas

વાંકાનેર: લુણસર ગામના તળાવમા મોટી સંખ્યામાં માછલીઓના મોત.

વાકાનેર તાલુકાના લુણસર ગામે આવેલ તળાવમાં છેલ્લા ત્રણેક દિવસથી માછલીઓના ટપોટપ મૃત્યુ થઇ રહયા છે. હાલ મૃત માછલીના ઢગલા થયા છે.

મળેલી માહિતું મુજબ છેલ્લા ત્રણેક દિવસથી વાંકાનેર તાલુકાના લુણસર ગામમા આવેલ તળાવમાં માછલીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં ગઈ કાલે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા તળાવની ફરતે કાંઠાના ભાગે માછલીઓના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વર્ષે ઓછો વરસાદ થયો છે ત્યારે ગામના લોકો તળાવના પાણીમા કપડા ધોવા ઉપરાંત ઢોર ઢાંખરને પાણી પાવા માટે આવે છે અને પાણી ઓછું હય તેમજ છેલ્લા બે દિવસથી પડી રહેલા તાપને કારણે પણ માછલીઓ મરી રહી હોવાનું મનાય રહ્યું છે.

આ સમાચારને શેર કરો