વાંકાનેર: જાલસીકા ગામે ફરી દીપડાએ દેખાદીધી, એક પશુનું મારણ કર્યું
વાંકાનેર: જાલસીકા ગામમાં દીપડાના છેલ્લા પાંચ મહિનામાં ૪ પશુનું મારણ કર્યું હોવાની માહિતી મળી છે. જ્યારે આજે સવારે હેમંતભાઈ ડાંગરની વાડીએ પશુઓ લઇને આવ્યા હતા. તેના થોડા જ સમયમાં ફરી દીપડાએ દેખાદીધી હતી અને પશુઓમાં નાશભાગ થતા માલધારીમાં પણ ભય જોવા મળ્યો હતો. તેમજ દીપડાએ એક ગાયનું મારણ કર્યું હોવાની માહિતી મળી છે
આ મામલે વન વિભાગના અધિકારી તેમની ટીમ સાથે હેમંતભાઈની વાડીએ પહોંચ્યા હતા અને તપાસનો દોર ચલાવ્યો હતો અને દુર્ઘટના મામલે તેમને યોગ્ય વળતર આપવાની વાત કરી હતી.