વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ હજુ એક ફરાર…
વાંકાનેર વઘાસીયા બોગસ ટોલનાકા પ્રકરણ મામલે લાંબા સમયથી તપાસ ચાલી રહી હોય, જેમાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ આજે આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની વાંકાનેર સીટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ટોલનાકાની બાજુમાં જ ખાનગી જગ્યામાં નકલી ટોલનાકું ઉભું કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતાં બાબતે મૂકપ્રેક્ષક બનેલ પોલીસે દ્વારા પાટીદાર અગ્રણી જેરામભાઈ પટેલના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને વઘાસિયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો હોય, જે ગુનો નોંધાયા બાદ પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ પોલીસે આજે આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ૧). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વઘાસીયા ગામની સીમમાંથી અટકાયત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં પોલીસે અગાઉ બે બાદ આજે વધુ ત્રણ એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હોય, જેમાં ષડયંત્રનો મુખ્ય સુત્રધાર એવા પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી જેરામભાઈ પટેલ હજુ પણ ફરાર છે.