Placeholder canvas

વાંકાનેર: તીથવા થી જડેશ્વર તરફનો રોડ નવો બનાવવા માંગ

વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના તીથવા ગામથી જડેશ્વર તરફ જતા રોડની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે ત્યારે આ રોડ નવો બનાવવા માટે વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂખભાઈ કડીવારે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે.

ફારૂખભાઈ કડીવારે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તીથવા ગામથી જડેશ્વર તરફ જતો રોડ બિસ્માર હોવાથી ભંગેશ્વર મહાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ તેમજ વાડી વિસ્તારના ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ખરાબ હોવાથી અકસ્માતનો પણ ભય ઉભો થયો છે. જેથી આ રોડ તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો