Placeholder canvas

સાયલા તાલુકાના બે ગામમાંથી બે સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

સાયલા તાલુકાના બે અલગ અલગ ગામો માંથી બે સગીરાઓ ગુમ થતા પરીવાર દ્વારા પોલીસનું શરણું લેવાયું છે.તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશનમાં સગીરા ને લલચાવી ર્ફોસલાવી ને ભગાડી જવાની નોંધાયેલી બે ફરીયાદો ને લઇ તંત્ર દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી તેને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઇ છે.

તાલુકાના એક ગામની આશરે સતર વર્ષની સગીર કીશોરી સાત દિવસ અગાઉ ઘરે કોઇને કહ્યા વગર ચાલી નિકળતા પરીવાર દ્વારા ગુમ સગીરાને શોધવાના પ્રયાસ કરતા તેને ખીંટલા ગામનો રાયા જેસાભાઇ બાવળીયા નામનો શખ્સ ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે સગીરાના વાલી દ્વારા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.

બીજા બનાવની જાણવા મળેલ વિગતો મુજબ એક ગામમાં પોતાના પરીવાર સાથે રહેતી સગીરાને લલચાવી,ફોસલાવી બદકામ કરવાના ઇરાદે નોલી નો હસરાજ ઉર્ફે છોટુ ભનુભાઇ ધણોદીયા ભગાડી જતા તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધાયો હતો.ચાલુ માસ દરમ્યાન જ તાલુકાના બન્ને પોલીસ સ્ટેશનોમાં ત્રણ સગીરાઓને ભગાડી જવાના બનાવોમાં આરોપીઓ વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુના દાખલ કરાયા છે જેમાં એક આરોપી ઝડપી લેવાયો છે જયારે ગત વર્ષે પણ આવા પ્રકારના દસથી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાવા પામ્યા હતા.

આ સમાચારને શેર કરો