Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુરમા ઇકો કારમાં તોડફોડ અંગે વળતી ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર નજીક બોલેરો ચાલક અને ટ્રેકટર ચાલક વચ્ચે થયેલ ઝઘડા અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઇકો કારના કાચમાં તોડફોડ કરી માર મારવા અંગે નવ દિવસ બાદ વળતી ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેરના સિંધાવદર ગામે રહેતા જાહિદભાઈ હુસેનભાઈ પરાસરાએ ગત તા.10ના રોજ બોલેરો ચાલક અને ટ્રેકટર ચાલક વચ્ચે થયેલ ઝઘડામા વચ્ચે પડી ઝઘડો નહિ કરવા સમજાવતા આરોપી ભૂરો સરાણીયા, બટુક સરાણીયા, હરેશ સરાણીયાના પુત્ર અને દેવરાજ સરાણીયા રહે.તમામ ચંદ્રપુર વાળાએ પાર્ક કરેલી ઇકો કારના કાચ ફોડી નાખી સાહેદ અલીભાઈ પરાસરાને માર મારતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો