Placeholder canvas

વાંકાનેર: વાવાઝોડામા પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરના ખોજાખાના વિસ્તારમાં ગત તા.15ના રોજ વાવાઝોડા બીપરજોય દરમિયાન ઘર પાસે પડી ગયેલા વૃદ્ધનું પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ દેશૂરભાઈ તરેટિયા ઉ.60 નામના વૃદ્ધ વાવાઝોડા બીપરજોય ને કારણે ગત તા.15ના રોજ તેમના ઘર પાસે પડી જતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હત જ્યાં તબિયત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો