Placeholder canvas

રફાળામાં ચુલાની ઝાળે દાઝેલ તરૂણીનું સારવાર દરમિયાન મોત

રાજકોટ: કુવાડવા રોડ પર આવેલ રફાળામાં ચૂલાની ઝાળે દાઝેલ માનસિક અસ્વસ્થ આદિવાસી તરુણીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, કુવાડવાના રફાળા ગામે રહેતી અંતરબેન ચંદુભાઈ ગણાવા (ઉ.વ.15) ગત તા.14 ના ઘરે હતી ત્યારે સવારમાં ચૂલા પર મૂકેલ ગરમ પાણી લેવાં જતાં ચૂલાની ઝાળે શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

આ સમાચારને શેર કરો