વાંકાનેર આવતીકાલ એટલે કે ગુરુવારે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ ખાતે થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને રક્તદાન કરવાની ખાસ અપીલ કરવામાં આવેલ છે.
આવતીકાલે વાંકાનેર તાલુકાના રાતેદેવડીના પેટાપરા નવાગામમાં થેલેસેમિયાના દર્દી માથકીયા મહંમદસાકીર યુસુફભાઈ જેવો થેલેસેમિયા મેજરના દર્દી હોય તેમને વારંવાર બ્લડ ચડાવવાની જરૂરિયાત થતી હોવાથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેથી રક્તદાતાઓને સાકીરને મદદ કરવા માટે આયોજક તરફથી રક્તદાન કરવાની ખાસ અપીલ કરવામાં આવેલ છે. રક્તદાન કરવા ઇચ્છુક રક્તદાતાઓએ નીચેના કોઈપણ નંબર પર પોતાનું નામ નોંધાવી લેવા ખાસ વિનંતી છે,જેથી વ્યવસ્થામાં સરળતા રહે…