વાંકાનેર: યુવા ભાજપ મોરચા દ્વારા કાલે મહારક્તદાન કેમ્પ…
વાંકાનેર : ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે તા. ૨૩ જાન્યુઆરી સોમવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
હાલની રોગચાળાની પરિસ્થિતિને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા સોમવારે મહા રક્તદાન શિબિર યોજાશે જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના લોકોને રક્તદાન કરવા વાંકાનેર રાજવી કેશરીદેવસિહ ઝાલા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા , અમિત શાહ સહિતના યુવા અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.