Placeholder canvas

ટંકારાના ધ્રુવનગર નજીક અકસ્માતમાં દીકરીને મળવા જતા પિતાનું મોત

ટંકારા ધ્રુવનગર ત્રિપલ સવારી બાઈકને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઈક સ્લીપ ખાઈ જતા એકનું મોત થયું હતું. તો બેને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ રાજકોટના રેલનગરમાં રહેતા વિશાલ પરમારે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેનો મિત્ર પીયુષ લગવાડિયા બંને બાઈક GJ 03 LE 8106 લઈને મોરબી મિત્ર શની અરવિંદભાઈ સુરેલાએ ગાડીની સાઉન્ડ સીસ્ટમ મંગાવેલ હોય જેથી રાત્રીના મોરબી આવવા માટે નીકળ્યા હતા. એક વાગ્યે મોરબી પહોંચ્યા બાદ શનિને સીસ્ટમ આપી રાજકોટ જવા નીકળ્યા હતા.

તે દરમિયાન અગિયારશ હોવાથી અને શનીને તેની અઢી વર્ષની દીકરીને મળવું હોવાથી વિશાલ સાથે શનિ પણ રાજકોટ જવા માટે બાઈકમાં સવાર થયો હતો. ટ્રીપલ સવારી બાઈકમાં શનિ બાઈક ચલાવતો હતો. ત્યારે ટંકારાના ધ્રુવનગર નજીક જીવા, મામાની જગ્યા પાસે પહોંચતા શનિ કારની સાઈડ કાપવા જતા મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. ત્રણેય રોડ પર પડી જતા ઈજાઓ પહોંચી હતી. તો શની બેભાન થઇ જતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોકટરે મરણ જાહેર કરેલ હતો. તો વિશાલ અને પીયુષને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાવી છે. તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વધુ તપાસ ટંકારા પોલીસ મથકના PSI એચ.આર.હેરભા અને સાહિદ સીદીક ચલાવી રહ્યા છે. જેમેણ જણાવ્યું હતું કે, શની મોરબી નોકરી કરતો હતો અને તેનો પરિવાર રાજકોટ રેહતો હોય દીકરી અઢી વર્ષ હોવાથી તેને જોવા માટે રાજકોટ જવા નીકળ્યો હતો, પણ અકસ્માતમાં યુવાનનું મોત થતા દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

આ સમાચારને શેર કરો