Placeholder canvas

વાંકાનેર: ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂ.૨,૫૦,૦૦૦/-ના વળતરનો હુકમ કરતી કોર્ટ

વાંકાનેર : હાથ ઉછીના આપેલ રૂપિયા ૧,૮૦,૦૦૦/- ની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂ.૨,૫૦,૦૦૦/-ના વળતરનો હુકમ કરતી કોર્ટ

આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર ના રહેવાસી કૌશિક ગગજીભાઇ ધરોડીયા એ તેના મિત્ર યોગેશ મનસુખભાઈ વારેવાડીયાને હાથ ઉછીના રૂપિયા ૧,૮૦,૦૦૦/- આપેલ હતા અને તેની ચુકવણી પેટે યોગેશ મનસુખભાઈ વારેવાડીયા એ કૌશિક ગગજીભાઇ ધરોડીયા ને ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા કૌશિક ગગજીભાઇ ધરોડીયા એ તા.૨૬/૧૦/૨૦૨૧ ના રોજ તેમના વકીલ મારફતે લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદા માં તે રકમ આરોપી નહી ચુકવતા તે અંગેની ફરિયાદ કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ વાંકાનેર કોર્ટમાં આ મોરબીના રહેવાસી યોગેશ મનસુખભાઈ વારેવાડીયા વિરુધ તેમના વકીલ મારફતે તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ દાખલ કરેલ.

ત્યારબાદ આ આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર આત્મદીપ શર્માસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયા એ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્ય રાખીને આ કામના આરોપી યોગેશ મનસુખભાઈ વારેવાડીયાને આત્મદીપ શર્માસાહેબે એક વર્ષની સજા અને ૨,૫૦,૦૦૦/- નો દંડ અને જો દંડ ની રકમ ન ભરે તો વધુ ૩ માસની સજા તથા ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૨,૫૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબાનુ ખોરજીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો