Placeholder canvas

પોરબંદર-ખંભાળીયા હાઇવે પર હાઈવે પર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, બે ના મોટ, છને ઈજા…

પોરબંદર-ખંભાળીયા હાઈવે પર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. પોરબંદર-ખંભાળીયા હાઈવે પર આવેલા ત્રણ માઈલ અને દેગામ વચ્ચે ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમા પોરબંદરથી ખંભાળીયા તરફ જતી એક ખાનગી બસ અને પોરબંદર તરફ આવી રહેલી કાર વચ્ચે અક્સમાત થયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બસ અને કાર વચ્ચે અકસ્માત થતા ડસ્ટર કારના ફુરચે ફુરચા નીકળી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 2 લોકોના તો ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બસમાં સવાર 6 જેટલા પ્રવાસીઓને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે 108 મારફતે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં જે કારનો અક્સ્માત થયો છે તે કીદરખેડા ગામની હતી અને તેઓ પોરબંદર શહેરમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરવા માટે આવી રહ્યાં હતા. ત્યારે ત્રણ માઈલ નજીક આ ઘટના બનવા પામી હતી.

આ સમાચારને શેર કરો