Placeholder canvas

વાંકાનેર: જાલસિકા ગામે આધેડ ઉપર દીવાલ પડતા થયું મૃત્યુ…

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે પોતાના ઘરની દીવાલ અચાનક ધસી પડતા અને આ દીવાલ નીચે આધેડ દટાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે રહેતા નિર્મલભાઈ ભીમાભાઈ લોખીલ ઉ.53 પોતાના ઘેર હતા ત્યારે ઘરની દીવાલ અચાનક ધસી પડતા અને તેઓ દીવાલ નીચે દટાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કરતા વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો