Placeholder canvas

વાંકાનેર: એલ કે સંઘવી કન્યા વિદ્યાલયમાં તા. 4થી6 મે દરમિયાન વિદ્યાર્થીઓ માટે વેકેશન વર્કશોપ યોજાયો

વાંકાનેર: શ્રીમતી એલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય માં તારીખ 4 થી 6 મે દરમિયાન વેકેશનમાં વિદ્યાર્થીઓમાં સર્વાગીણ વિકાસ માટે વેકેશન વર્કશોપનું આયોજન.લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સહયોગથી યોજાયેલ જેમાં વિદ્યાર્થીનીઓ ને થ્રીડી મોડેલ્સ , કાગળનું કટીંગ અને આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ આપવામાં આવી કાગળ માંથી જુદા જુદા મોડલ્સ બનાવી ક્રિયા દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું

લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર દીપેનભાઈ ભટ્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના ટ્રેનર દ્વારા વિદ્યાર્થીનીઓને કુદરતી આપત્તિઓ અને હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં કઈ રીતે તાત્કાલિક સારવાર આપવી તે વિશેની માહિતી આપવામાં આવી અને પ્રાયોગિક પણ બતાવવામાં આવ્યું.

વિદ્યાર્થીનીઓ દ્વારા આ વર્કશોપમાં એફોર સાઈઝના કાગળ માંથી ઘણા બધા ગાણિતીક નમુના સ્કેલેટન વગેરે બનાવવામાં આવ્યાં એક નાનકડા કાગળ માંથી કલાકો નીકળી જાય તેટલું કાર્ય વિદ્યાર્થી પાસે કરાવી શકાય એવું વિદ્યાર્થીઓના ઉત્સાહ અને કાર્ય દ્વારા જણાયું ક્રિયા દ્વારા શિક્ષણથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો શાળાના આચાર્ય દર્શનાબેન જીતેન્દ્રકુમાર જાની દ્વારા .લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર તેમજ આપતિ વ્યવસ્થાપન ના ટ્રેનર નો વિશેષ માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરો