Placeholder canvas

વાંકાનેર: કોઠારીયા ગામે ઇકો કારે બાઈકને ઠોકર મારતા અકસ્માતમાં આધેડનું મોત 

વાંકાનેર: ઇકો કારે ઠોકર મારતા બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઇકો કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના રમેશભાઇ સવજીભાઇ સારલાએ જણાવ્યું હતું કે, તેમના નાનાભાઈ ભીમજીભાઇ સવજીભાઇ સારલા કોઠારીયા ગામે, બળવંતસીંહ ઝાલાની વાડી પાસે, રોડ ઉપર પરથી તેમના સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ-36-AE-0778 પર પસાર થતા હતા.એ સમયે આરોપી ઇકો કાર નં.GJ-36AC-6091ના ચાલકે પુરપાટ કાર ચલાવી ભીમજીભાઇના બાઈકને ઓવરટેક કરવા જતા પાછળથી તેમના બાઈકને ઠોકર લાગતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ભીમજીભાઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જયારે અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થયો હતો.

અકસ્માતમાં ઘાયક થતા ભીમજીભાઈને રાજકોટ ખાતેની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો