Placeholder canvas

નલ સે જલ યોજના ક્યાં?: આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલા તાલુકાના 43 ગામો તરસ્યા..!!

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સરકારી તંત્રને 43થી વધુ ગામોના લોકો દ્વારા નવતર મટકી આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ચોટીલાના 43થી વધુ ગામોના લોકો દ્વારા મામલતદારને માટીની મટકી આપીને આખી યોજના સમજાવી હતી. અને વેધક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો કે, નલ સે જલ તક યોજના ક્યાં ખોવાઇ ? ચોટીલા તાલુકાના 43થી વધુ ગામોને પીવાના પાણીનો પ્રાણ પ્રશ્ન ક્યારે હલ થશે ? ભર શિયાળે પાણી નથી તો ઉનાળો કેવો વિતશે ?

ચોટીલાના 43થી વધુ ગામોના લોકોએ ‍આક્રોશ સાથે જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલા તાલુકાના 43 ગામમાં હજુ પીવાનું પાણી પહોંચ્યું નથી..! આ છે ભરોસાની ભાજપ અને ડબલ એન્જિન ધરાવતી સરકારની સિદ્ધિઓ..! ત્યારે ગ્રામજનો આગેવાનોએ મોટી સંખ્યા એકત્ર થઈને સ્થાનિક આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ચોટીલા તાલુકાના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરીએ રજૂઆત કરી એક અઠવાડિયાનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ.

આ નવતર આવેદનમાં માટીની મટકી અધિકારીને દેખાડીને પીવાનું પાણી કેવી રીતે ચોરાઈ જાય છે, તે હકીકતથી ચોટીલાના સરકારી બાબુઓને સમગ્ર હકીકત વિગતવાર સમજાવી હતી. જેમાં આ નવતર મટકી આવેદન આપવા મોટી સંખ્યા ગ્રામજનો એકઠા થયા હતા. અને ચોટીલા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. અને સરકારી તંત્રને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

આ સમાચારને શેર કરો