Placeholder canvas

મોરબી ઝૂલતા પુલના મૃતકના પરિવારજનને 10 લાખ અને ઈજાગ્રસ્તને 2 લાખ ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ…

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવાના આદેશ કર્યા છે તો ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.

દિવાળી બાદ બનેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર આજે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ આંસુભરી આંખે ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ સમાચારને શેર કરો