Placeholder canvas

વાંકાનેર: “તુ લગ્નમા કેમ આવ્યો” કહી ઘીયાવાડમાં યુવાનને માર માર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો” તેમ કહી યુવાન અને તેના પરિવારના સભ્યોને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરબતભાઇ દેવજીભાઇ થોરીયા (ઉ.વ. ૨૬ ધંધો કરીયાણાની દુકાન રહે. ઘીયાવડ ગામ તા. વાંકાનેર) એ આરોપીઓ વિપુલભાઇ સવશીભાઇ વાધેલા તથા આરોપી વિપુલના માતા તેમજ આરોપી વિપુલના મોટાબાપુ અમરશીભાઇના પત્ની (રહે. ત્રણેય ઘીયાવડ ગામ તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ આરોપીએ ફરીયાદીને “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો” તેમ કહી પોતાના હાથમા રહેલ ધોકા વડે ફરીયાદીને માથાના ભાગે કાન પાછળ ઘા મારી ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના માતાને ધોકા વડે માથામા ઇજા કરી અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ફરીયાદીના બહેન કાજલબેનને ધારીયાનો ઉંધો ધા માથામા મારી ઇજા કરી આોપીઓએ ફરીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો