Placeholder canvas

ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર પર સાધુએ તલવાર વડે કાર્યો જીવલેણ હુમલો

ભવનાથ ક્ષેત્રના સાધુ સંતોમાં અગ્રેસર અને હર હંમેશ સાધુઓની સેવામાં તત્પર એવા ભવનાથ ક્ષેત્રના મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજી પર ગિરનારમાં જ રહેતા શિવગીરી નામના સાધુએ તલવાર વડે જીવણ હુમલો કરતા સાધુ સંતોમાં અરેરાટી વ્યાપી છે. હુમલામાં ઘાયલ થયેલા જયશ્રીકાનંદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે ગણતરીની કલાકોમાં જ હુમલાખોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ગિરનાર ક્ષેત્રના ભવનાથ મંદિર પાછળના વિસ્તારમાં મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજી જ્યારે ચાલીને જતા હતા ત્યારે અચાનક પાછળથી આવી શિવગીરી નામના સાધુએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. આ હુમલાથી મહિલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ માતાજીને પેટના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર શરૂ કરી છે.

હુમલાના આ બનાવથી ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા તેમજ જૂનાગઢ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે ખડકાયો હતો. આરોપી હુમલો કરી ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ હુમલાખોરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સાધુ દ્વારા પીઠાધીશ્વર પર કયા કારણે હુમલો થયો છે તે કારણ હજુ અકબંધ છે.

આ સમાચારને શેર કરો